કેરી માં (ફળમાખી)સોનમાખી  

અને 

તેને અટકાવવા ના ઉપાય 



ફળમાખી નું વૈજ્ઞાનિક નામ  ;- Bactrocera (Dacus) dorsalis


નુકશાન ના લક્ષણો ;-

  • જીવડાં  અર્ધ પાકા ફળમાં કાણા પાડી ડે છે.
  • પ્રવાહી જેવું ફળની  બહાર આવેછે. 
  • ફળો પર ભૂરા રંગના સડેલા ડાઘ જોવા મળે છે.
જંતુની ઓળખ;-
  • કીડા ;- સફેદ કે પીળાશ રંગ ના ઈયળ જેવા કીડા હોય  છે.
  • ફળમાખી;-  એ પીળા થી કેશરી રંગ ની પારદર્શક પાંખવાળી  માખી હોય છે.
અટકાવવા ના ઉપાય ;
  • કેરી વેળવા ના 45 દિવસ પહેલાં, નીચેની સાવચેતીઓ લેવી જરૂરી છે
  • અઠવાડિયા ના  અંતરાલમાં બધા ખરેલા ફળ નો  નાશકરવો.

  • પ્રતિ એકરમાં 6 મિથાઈલ  યુજેનોલ પ્લાયવુડ ટ્રેપ્સ સ્થાપિત કરો.
  • વૃક્ષના ખામણાં  પર માટીને સતત અંતરાલમાં હલાવો.
  • કેરી વેળવા ના પહેલા ત્રણ અઠવાડિયા, ડેકેમેથ્રિન 2.8 ઇસી @ 0.5 મિલી / લીટર  + આઝાર્ડીરીકટીન (0.3%) 2 મિલી / લીટર  અને સમયસર કેરી વેળો.
  • જો ફળમાખી નો  ખૂબ જ ગંભીર પ્રશ્ન હોય તો   (> 5 / સર્વેલન્સ ટ્રેપ), સાપ્તાહિક અંતરાલમાં વૃક્ષની થડ પર બાઈટ સ્પ્રે આપો: (બાઈટ સ્પ્રે પાણીના એક લિટરમાં 100 ગ્રામ ગોળ ભેળવીને તૈયાર કરવામાં આવે છે જેમાંથી 2 એમએલ ડેલ્ટામેથ્રિન (2.8 ઇસી) ઉમેર્યું છે).
  • 48°C પર 1 કલાક ગરમ પાણી કેરી ને રાખવી.જેથી ફળમાખી ના ઇંડા જો કેરી ની સપાટી પર હોય તો નાશ પામે.