વનસ્પતિ :- અરિઠા

વૈજ્ઞાનિક નામ :- સેપિન્ડસ સેપોનારિયા
કુળ :- સેપિન્ડેસિ

અરિઠા વિશે :-
અરીઠાં એ અતિ ઉત્તમ ઔષધ છે. 
સંસ્કૃતમાંગથી કોઈ અનિષ્ટ થતુ નથી) કહે છે. અરીઠાં સ્વાદમાં તીખાં, કડવાં, લઘુ, સ્નિગ્ધ, તીક્ષ્ણ, પચ્યા પછી પણ તીખાં, ગરમ, મળને ખોતરનાર, ગર્ભપાત કરાવનાર તથા વાયુ, કૃષ્ઠ, ખંજવાળ, વિષ અને વિરસ્ફોટકનો નાશ કરનાર છે.
,અરીઠાં એ એક વૃક્ષ છે જે ભારતીય ઉપખંડમાં લગભગ દરેક જગ્યા પર જોવા મળે છે.
આ્રક્ષનાં પાંદડાં ઉંબરાનાં પાંદડાં કરતાં મોટાં, છાલ ભૂરા રંગની તથા ફળની લૂમો હોય છે.
આાડની બે જાતિઓ હોય છે. પ્રથમ જાતિનાં વૃક્ષનાં ફળોને પાણીમાં ભિંજવીને અને હલાવવાથી ફીણ ઉત્પન્ન થાય છે અને આ ફીણવાળા પાણી વડે સૂતરાઉ, ઊન તથા રેશમ એમ બધા પ્રકારનાં કપડાં તથા વાળ ધોઈ શકાય છે.
આયુર્વેદના મત પ્રમાણે આ ફળ ત્રિદોષનાશક, ગરમ, ભારે, ગર્ભપાતક, વમનકારક, ગર્ભાશયને નિશ્ચેષ્ટ કરનારું તથા અનેક પ્રકારના વિષના પ્રભાવને નષ્ટ કરનારું છે.  
સંભવત: વમનકારક હોવાને કારણે જ આ ફળ વિષનાશક પણ છે. 
વમનવવા માટે એની માત્રા બે થી ચાર માસા જેટલી દર્શાવવામાં આવેલી છે. 
ફળનાણનાક ઘાટ્ટા ઘોળનાં ટીપાંને નાકમાં નાખવાથી આધાશીશી, મિર્ગી અને વાતોન્માદમાં લાભ થતો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. 
 બીજા પ્રકારનાં વૃક્ષમાંથી પ્રાપ્ત બીજમાંથી તેલ કાઢવામાં આવે છે, જે ઔષધિ તરીકે કામ આવે છે. આ વૃક્ષમાંથી ગુંદર પણ મળે છે.

અરિઠા ના ફાયદા:- 

      અરીઠાંનું પાણી પીવડાવવાથી ઊલટી થતાં વિષ નીકળી જાય છે.
      અરીઠાંના ફીણથી માથું ધોવાથી વાળ અને માથાની ચામડીની શુદ્ધિ થાય છે. આથી માથાના ખોડો, સોરાયસીસ, ખરજવું, દાદર, ઉંદરી જેવા રોગો મટે છે. અરીઠાને પંદરેક મિનિટ પાણીમાં પલાળી રાખવાથી ફીણ થઈ શકશે. ફીણ પાંચ કે મિનિટ માથા પર રહેવા દેવું.
        બાળકને પેટમાં ચુંક આવતી હોય, આફરો ચડતો હોય, પેટમાં કૃમિ થયા હોય તો પેટ પર અરીઠાંનું ફીણ લગાડવાથી થોડી વારમા શાંતિ થાય છે અને કરિમયા હોય તો નીકળી જાય છે.  
વાળસ્ત્રીનું સૌંદર્ય નિખરી ઊઠે એ હકીકતથી કોણ અજાણ છે ?
   એક તબક્કો એવો હતો કે જ્યારે શિયાળામાં ખોડાની ફરિયાદ હોય, ઉનાળામાં જૂ-લીખની અને ચોમાસામાં ખરતા વાળની ફરિયાદ કરતા દર્દીઓ આવે.
      પહેલાં ૧૦માંથી ૧ કે ૨ દર્દીઓને વાળને લગતી સમસ્યા હોય.
    પરંતુ છેલ્લાં ૮-૧૦ વર્ષની અલગ ચિત્ર ઉપસી રહ્યું છે. અઢાર વર્ષની યુવતિ હોય કે ૬પ વર્ષ વૃદ્ધા હોય બધાને વાળ ખરવાની સમસ્યા છે.
     અને એને કારણે જથ્થો ઓછો થઈ જાય છે. 
બીજી એક વધુ વકરતી સમસ્યા નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જવાની છે.
સાન ફ્રાન્સિસકોના એક ડર્મેટોલોજિસ્ટ કહે છે કે રોજ અમુક માત્રામાં વાળ ખરતા જ હોય છે અને તે કુદરતી છે. પરંતુ જો તેની માત્રા ૬૦-૭૦થી વધી જાય ત્યારે તેની વિશિષ્ટ સંભાળ અને સારવાર લેવી જોઈએ.