ગુજરાત માં મશરૂમ ની ખેતી 

ઢીંગરી મશરૂમ ની ખેતી

             

ઢીંગરી મશરૂમને ઓઈસ્ટર મશરૂમ પણ કહેવામાં આવે છે જે બેસીડીયોમાઈટ વર્ગની અને રોટસ જાતિની રેતાપ્રિય ફૂગ છે . આ મશરૂમ ઠંડા તથા ગરમ પ્રદેશોના જંગલોમાં સુકા તથા કોહવાયેલા લાકડાના ટુકડાઓ ઉપર અથવા સુકા - નરમ થડ ઉપર કુદરતી રીતે ઉગી નીકળે છે તેમજ કોહવાયેલા સેન્દ્રિય પદાર્થો ઉપર પણ ઉગે છે. 

                   આ મશરૂમના ફળ અંકુરો છત્રી અથવા પહોળી પટ્ટી આકારના તેની પ્રજાતિઓ અનુસાર સફેદ , મલાઈ રંગના , રાખોડી , પીળા , ગુલાબી અથવા આછા બદામી રંગના હોય છે . ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી વર્ષે લગભગ ૭૦૦ મિલિયન ટન જેટલી કૃષિની ઉપપેદાશ / કષિ અવશેષો જેવા કે ઘંઉની પરાળ ડાંગરની પરાળ શેરડીની બગાસ વગેરે ઉત્પન્ન થાય છે .જમાના અડધા અધડ જથ્થો વપરાયા વગરના પડી રહે છે અને આવા કચરાનો નાશ કરવો એ પણ એક મોટી સમસ્યા છે .આ કૃષિની ઉપપેદાશ / કૃષિ અવશેષોનો ઉપયોગ મશરૂમ ઉગાડવા માટે કરવામાં આવે તો દેશમાંના શાકાહારી લોકોની પ્રોટીનની ઉણપ પણ પૂરી કરી શકાય .

                        આ પ્રવૃતિને કારણે રોજગારી ઊભી કરી શકાશે .પૂરતા પ્રમાણમાં માળખાકીય જરૂરિયાતો , મશરૂમનું બિયારણ અને જરૂરી બજાર ઊભું કરવામાં આવે તો ભારત ઢીંગરી મશરૂમના ઉત્પાદનમાં અગત્યનો ભાગ ભજવી શકે તેમ છે .ઢીંગરી મશરૂમની ખેતી આખા વર્ષ દરમ્યાન કરી શકાય છે .ઢીંગરી મશરૂમની ઘણી વિશેષતા છે જેને કારણે તેની ખેતી ભારતમાં જ નહી પરંતુ વિશ્વભરમાં લોકપ્રિય થઈ રહી છે . આ મશરૂમનો વિકાસ ઝડપી હોવાથી અને ઓછા ખર્ચે સહેલાઇથી ઉછેર કરી શકાતું હોવાથી આપણા ગ્રામીણ વિસ્તારોમાં આ મશરૂમ ઉછેરની પુષ્કળ શકયતાઓ રહેલી છે .

     મશરૂમ માટે ઓરડા ની વ્યવસ્થા

           હવા ઉજાસવાળા , પવન અને વરસાદથી રક્ષિત ૨૦-૩૪ ° સે . તાપમાન જાળવી શકાય તેવા બંધ મકાનમાં અથવા વાંસથી બનાવેલ કાચા મકાનમાં મશરૂમની ખેતી કરી શકાય છે . આ મકાનમાં એક મીટરના અંતરે ૬૦સે.મી. પહોળી વાંસની પાલખ તૈયાર કરી રાખવી 

    ક્યાં ઉછેરાય

     

    ઢીંગરી મશરૂમ
    ઢીંગરી મશરૂમને સામાન્ય રીતે ડાંગર , રાગી , ઘઉંના પરાળ અથવા શેરડીના કચરા પર સારી રીતે ઉછેરી શકાય છે . માધ્યમ નવું અને સુકાયેલુ હોવું જોઈએ . માધ્યમ રાહત કરવા ના ભાવનું હ 9 80 ઈએ . અમને હાનિકારક સૂજી તથા ઢીંગરી મશરૂમના વિકાસ માટે ઉપયુક્ત બનાવવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવી આવશ્યક છે .

     >ગરમ પાણી નો ઉપયોગ 

    એક વર્ષ જુના નહીં અને કાપણી પછી પાણી ના લાગેલ હોય એવા ઘઉં / ડાંગર / રાગીના પૂળા પસંદ કરી કંઠીવાળો ભાગ કાપી બાકીના ભાગના નાના નાના ૪-૬ સે.મી. ના ટુકડા કરી ઓછામાં ઓછા ૬ કલાક સુધી સ્વચ્છ પાણીમાં ડૂબાડી રાખો જેથીપરાળ સારી રીતે પાણીનું શોષણ કરી શકે . 

                  ત્યારબાદ આ ભીની પરાળને દ 0 દ ° સે તાપમાને ર0-30 મિનિટ સુધીત્યારબાદ આ ભીની પરાળને ૬૦-૬૫ ° સે . તાપમાને ૨૦-૩૦ મિનિટ સુધી ઉકળતા પાણીમાં ડૂબાડી રાખો અથવા આ ટુકડાને ચોવીસ કલાક પાણીમાં બોળી રાખી ત્યારબાદ તેને ગરમ પાણીની વરાળ આપી ઉપચાર કરવો .

     આ ટુકડાને પાણીમાંથી કાઢી ચોખ્ખા ઢાળવાળા પ્લેટફોર્મ પર પાથરી વધારાનું પાણી નિતારી કાઢો . પરાળ પ્લેટફોર્મ પર નાખતાં પહેલા પ્લેટફોર્મ પર ૨ % ફોર્મલીનના દ્રાવણ નો છંટકાવ કરવો

    >રાસાયણિક દવા નો ઉપયોગ 

     ગરમ પાણી દ્વારા ઉપચારની પ્રક્રિયાને નાના સ્તરે અપનાવવું યોગ્ય છે પરંતુ મોટા સ્તરે આ પ્રક્રિયા વધારે ખર્ચીલી સાબિત થઈ શકે છે . આના વિકલ્પ તરીકે રસાયણિક પ્રક્રિયા અપનાવી શકાય . 

    રાસાયણિક પ્રક્રિયા માટે ૨૦૦ લીટરના પીપમાં ૯૦ લીટર પાણી લઈ તેમાં ૧૦-૧૨ કી.ગ્રા . પરાળને ડૂબાડો . ત્યારબાદ એક ડોલમાં ૫ ગ્રામ કાર્બેન્ડેઝીમ ૫૦ ટકા વેટબલ પાઉડર  અને ૧૨૫ મિ.લી ફોર્મેલીનનું ૧૦ લીટર પાણીમાં દ્રાવણ બનાવો .

     આ દ્રાવણને પીપમાં બરાબર મિશ્રણ કર્યા બાદ પીપ ને પોલીથીન ઢાંકી ને રહેવા દો .

    લગભગ 12 થી 14 કલાક પછી પરાળ ને કોઈ  સીટ કે પછી લોખંડ ની જાળી ઉપર 2 થી 4 કલાક સુધી  રહેવા દેવાથી વધારાનું પાણી નિતરી જાય છે અને ફોર્મેલીનની ગંધ નીકળી જાય છે .

     મશરૂમ બિયારણ કઈ રીતે નાખવું 

                         મશરૂમના હમેશાં તાજા બીજ વાપરવા જે ૩૦ દિવસથી વધારે જૂના ના હોવા જોઈએ .

     મશરૂમનું બીજ હંમેશાં માન્ય , જાણીતી અને અનુભવી સંસ્થા પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો . ગરમીની ઋતુ માં પ્યુરોટસ સાજોર કાજૂ , હુરોટસ લેબિલેટસ , પ્યુરોટસ એપીડસ , પ્યુરોસ જામોર અથવા પ્લોટસ સાઈટ્રીનો પીલીએટસની વાવણી કરવી જોઈએ . 

    ઠંડીની ઋતુમાં જ્યારે વાતાવરણનું તાપમાન ૨૦ ° થી ઓછું હોય ત્યારે પ્લોટસ ફલોરિડા અથવા પ્લોટસ કોન્કોપીયાનું વાવેતર કરવું જોઈએ .

                 નિતારેલ પરાળના ટુકડાનો ૪ સે.મી. નો થર પ્લાસ્ટીકની બેગમાં નીચે કરી તેના પર સ્પૉન ( મશરૂમ બિયારણ ) થોડું લઈ ફરતે ભભરાવો . 

    તેના પર બીજો થર જસે.મી. નો કરી તેના પરસ્પૉનની વાવણી કરો .

     આ પ્રમાણે મોટી પ્લાસ્ટીકની બેગમાં ૫-૬ પરાળના થર અને સ્પોન તેના પર ભભરાવો . 

    તૈયાર બેગનું માં હવાની અવરજવર થઈ શકે તે પ્રમાણે રબર બેન્ડથી બંધ કર્યા બાદ બેગની ફરતે નાના નાના છિદ્ર ( કાણા ) કરો અને ૧૫-૨૦ સે.મી. ના અંતરે આવી બેગ પાલખ પર ગોઠવો. ( ઓછી જગ્યામાં વધુ બેગ રાખવા માટે વાંસની પાછળ પર કોથળીઓ લટકાવી પણ શકાય અથવા જમીન પર સિલિન્ડર પણ બનાવી શકાય છે ) , બેગોમાં અઠવાડિયામાં એક વાર અવશ્ય જોવી જોઈએ કે બીજ ફેલાય રહ્યા છે કે નહી .

     કોઈપણ બેગમાં લીલા , કાળા કે ભૂરા રંગની ફૂગ દેખાય તો એવી બેગને ઉત્પાદન રૂમમાંથી બહાર કાઢી દૂર ફેકી દેવી જોઈએ . 


    બેગને ૧૫ થી ૨૦ દિવસ સુધી ૨૦ થી ૩૪ ° સે . તાપમાન અને ૩૫ ૮૦ % ભેજવાળા ચોખ્ખા બંધ રૂમમાં રાખી દિવસના રોજ ત્રણ વખત સવાર , બપોર , સાંજ રૂમની દીવાલ અને ભોંયતળિયે ચોખ્ખા પાણીનો છંટકાવ કરતા રહેવાથી સફેદ ફૂગથી માધ્યમ આચ્છાદિત થઈ જશે . 

    ૧૫ થી ૨૦ દિવસ બાદ પરાળ અથવા માધ્યમ જયારે સફેદ ફૂગથી આચ્છાદીત થઇ જાય ત્યારે તેના પરની પ્લાસ્ટિક બેગને કાપીને દુર કરો.  

    ત્યારબાદ પ્લાસ્ટિક વિનાના આ ચોસલાને પાલખ પર ગોઠવી દિવસમાં બે થી ત્રણ વાર પાણી છાંટી રૂમમાં ૭૦ થી ૮૦ % ભેજ જાળવી રાખવો , જરૂર પડે રૂમની દીવાલ અને ભોંયતળિયે પણ પાણી છાંટો .રૂમમાં ૧ થી ૨ કલાક હવા ઉજાસ મળી રહે તે માટે બારી ખોલી આછો પ્રકાશ મળે એવી વ્યવસ્થા કરો .

    જરૂરી વ્યવસ્થા
     

     ૧. ઘઉં / ડાંગર રાગીની પરાળ

     ૨. ઢીંગરી મશરૂમનુ બિયારણ 

    ૩. કાર્બનડેઝીમ / ફોર્મેલીન / મેલાથીયોન જંતુનાશકો

     ૪ . પરાળ ને ઉકાળવા સ્ટીલનું તપેલું અથવા પીપ.

    ૫. પ્લાસ્ટિકની બેગ

     ૬ , બેગ બાંધવા માટે દોરો / રમ્બર

     ૭. મશરૂમનું ઘર બાંધવા માટે વાંસ , દોરી અથવા જી.આઈનો તાર , તાડપત્રી , ફરતે બાંધવા માટે કંતાનના કોથળા વગેરે

     ૮. પાણી છાંટવા માટેનો પંપ

     ૯ , તાપમાન અને ભેજ માપવા માટેનું હાઈડ્રોમીટર ( ડિજિટલ ).

    મશરૂમની ખેતીના ફાયદા 

    ૧. કોઈ પણ પ્રકારના લિગ્નાઇટ અને રેસાયુક્ત કૃષિજન્ય કે જંગલી કચરા ઉપર સહેલાઈથી ઉગાડી શકાય છે .

     ૨. આ મશરૂમની ઘણી બધી પ્રજાતિઓ હોવાથી આબોહવાને ધ્યાનમાં લઈને પ્રજાતિની પસંદગી કરી આખા વર્ષ દરમ્યાન ઉગાડી શકાય છે .

     ૩. મશરૂમ ઉગાડવાના માધ્યમને સરળતાથી બનાવી શકાય છે .

     ૪. આ પ્રજાતિના મશરૂમ બીજી પ્રજાતિની સરખામણીમાં તાપમાન , ભેજ , કાર્બન

    ૫. આ મશરૂમને સહેલાઈથી સુકવી અને સંગ્રહી શકાય છે . તાજા મશરૂમની જીવનશક્તિ ઓરડાના તાપમાને ૨૪ થી ૪૮ દિવસની છે .

    મશરૂમ ની પ્રોડક્ટ 

     ૬. અન્ય ખેતીલાયક મશરૂમની સરખામણીમાં આ મશરૂમની ઉત્પાદકતા વધુ છે . એક ટન ઘઉં કે ડાંગરના પરાળમાંથી ૪૦-૬૦ દિવસોમાં પ 00 કિ . ગ્રા . તાજા ઢીંગરી મશરૂમનું ઉત્પાદન મેળવી શકાય છે જયારે એટલા જ જથ્થાના પરાળમાંથી ૧૦૦-૧૨૦ દિવસોમાં આશરે ૨૦૦ કિ.ગ્રા . તાજા બટન મશરૂમનું ઉત્પાદન મેળવી શકાય છે

    ક્યારે ઉતારવા જોઈએ. 

     મશરૂમની કાપણીનો ચોક્કસ સમય તેના ફળના આકાર અને કદ ઉપરથી નક્કી કરવામાં આવે છે .

     કાચા મશરૂમની ટોચની કિનારીની ધાર જાડી અને નીચે તરફ વળેલી હોય છે જયારે કાપણી માટે તૈયાર થયેલા મશરૂમની ટોચ પાતળી અને અંદરની બાજુએ વળેલી હોય છે .

     ફળ અંકરોમાંથી બીજાણુઓ છટા પડે તે પહેલા વળ આપીને ફળ ઉતારવા કે જેથી પરાળ ઉપર તેના અવશેષો રહી ન જાય . 

    મશરૂમ એક જ જગ્યાએથી એક સાથે ઉતારવાની સલાહ છે કે જેથી નવી ફૂટ એકસાથે આવે . 

    કાપણી બાદ દાંડી સાથે ચોંટેલા ટૂંઠા ચપ્પા વડે દૂર કરવા .

     વેચાણ માટે તાજા મશરૂમને કાંણાવાળી પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરવા . 

    મશરૂમને સુતરાઉ કાપડ ઉપર છુટા છુટા પાથરીને સૂર્યપ્રકાશમાં અથવા ઝાંખા પ્રકાશમાં અથવા ઓવનમાં ૪૦ થી ૫૦ ° સે . તાપમાને મૂકી સુકવણી કરવી .

     કોઈપણ જાતના સ્વાદમાં તફાવત વગર ૨-૪ % ભેજવાળા હવાચૂસ્ત વાતાવરણમાં મશરૂમનો સંગ્રહ ૩-૪ માસ સુધી કરી શકાય . સુકવેલ મશરૂમને ફરીથી ૪૦ - પ ૦ સે . 

    ગરમ પાણીમાં પલાળતો ૨૦-૩૦ મિનિટમાં ૮૦ ૯૦ % જેટલું વજન ફરીથી મેળવી શકાય છે . 

    મશરૂમની ખેતી દરમ્યાન લેવામાં આવતી કાળજીઓ

     આ મશરૂમના ખેતી કાર્યોમાં રોકાયેલા ઘણા લોકોને બીજાણુઓને શ્વાસમાં લેતા આડઅસરો ઉત્પન્ન થતી જોવા મળે છે . 

     જેમાં માથાના દુઃખાવો , વધુ તાવ , સાંધાનો દુઃખાવો , કફ અને ઉબકા જેવા લક્ષણો જોવા મળે છે .

     પરંતુ ઓરડાની મુલાકાત લેતા બંધ થવાથી આ લક્ષણો દૂર થઇ જાય છે .

     આથી જયારે પણ કામ કરવામાં આવે ત્યારે નાક ઉપર માસ્ક ( બુરખો ) પહેરી રાખવો અને મશરૂમની ખેતી કાર્યો બાદ કપડાં બદલવા જરૂરી છે .

     બીજાણુઓનો ફેલાવો અટકાવવા માટે વેન્ટિલેશનમાં એર- ફિલ્ટર લગાડવા .